Sunday 28 June 2015
Friday 26 June 2015
ભગવાન 'શ્રીકૃષ્ણ' - એ જ 'પુરૃષોત્તમ' છે અને તેના અનેક નામો પણ છે
શ્રીમદ્ ભાગવત્ ગીતાનો પંદરમાં અધ્યાયમાં સૃષ્ટિ-માનવજાત અને ભગવાનનાં સ્વરૃપનું વર્ણન આવેલ છે. તેમાં જગતનાં દરેક નાશવંત પુરુષોને 'ક્ષર' શબ્દથી વર્ણવ્યા છે અને નાશવંત શરીરમાં રહેલ જીવંત 'આત્મા'ને અક્ષર તરીકે ઓળખાવેલ છે, જે અંતરયામી છે અને આ બન્ને 'અક્ષર' તરીકે ઓળખાવેલ છે, જે અંતરયામી છે. અને આ બન્ને 'ક્ષર' (શરીર)ને 'અક્ષર' (આત્મા) બન્નેથી ઉત્તમ પુરુષ તો અલગ જ છે. જેને 'પરમાત્મા' નામથી કહેવાય છે તે અવિનાશી પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરી સર્વનું ધારણ પોષણ કરે છે તે અવ્યક્ત-અવ્યયરૃપ અને ઈશ્વર છે.
આ ઈશ્વર જે ક્ષર-અક્ષર બન્નેથી પણ ઉત્તમ છે, તેથી તે વેદમાં 'પુરુષોત્તમ' નામથી પ્રસિદ્ધ છે.
યાસ્માત્ ક્ષરમતીતોડહમ્ અક્ષરાઢડપિ ચોત્તમ ।
અતો અસ્મિ લોકેવેદેચ પ્રથિત પુરુષોત્તમ: ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા અ. ૧૫/૧૮
આમ ભગવાન શ્રીકૃષ્ણને જે મનુષ્ય મોહ ત્યાગ કરીને આ પ્રમાણે 'પુરુષોત્તમ' સ્વરૃપ જાણે છે તે સર્વજ્ઞાા હોઈ મને સર્વભાવથી ઉપાસે છે. (શ્લોક. ૧૯)
આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના અનેક નામોનો ઉલ્લેખ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જોવા મળે છે.જે નામો જાણવાથી તેનાં સ્વરૃપોનો ખ્યાલ આવે છે જેમાંથી કોઈપણ એક નામ ભજવાથી 'પુરુષોત્તમ' ભગવાન પ્રસન્ન થાય છે.
શ્રીકૃષ્ણ ભગવાનનાં નામો અને તેનો અર્થ
* અનંતરૃપ - જેના અનંત/અનેક રૃપો છે તે.
* અચ્યુત - જેનો કદી પણ ક્ષય કે નાશ થતો નથી તે.
* અરિસુદન - સહેલાઈથી શત્રુઓનો નાશ કરનાર.
* કૃષ્ણ - સત્તાવાચક અને આનંદવાચક બન્નેનો એકતાસૂચક પરબ્રહ્મ કૃષ્ણ.
* કેશવ - ક. બ્રહ્માને અને ઈશ-શિવને વશ રાખનાર.
* કેશિનિષૂદન - 'કેશી' નામના દૈત્યનો નાશ કરનાર.
* કમલપન્નાક્ષ - કમળની પાંખડી જેવી સુંદર આંખોવાળા.
* ગોવિંદ - ગો - એટલે વેદાંત વાક્યો દ્વારા જે જાણી શકાય છે તે
* જગત્પતિ - જગતનાં પતિ
* જગન્નિવાસ - જગતનો નિવાસ જેનામાં છે તે.
* જનાર્દન - દુષ્ટજનોને શત્રુઓને પીડનારા.
* દેવ દેવ - દેવતાઓનાં પૂજ્ય. દેવવર - દેવતાઓમાં શ્રેષ્ઠ.
* પુરુષોત્તમ - ક્ષર અને અક્ષર એ બન્ને પુરુષોથી જે ઉત્તમ છે તે.
* ભગવાન - ઐશ્વર્ય-ધર્મ-યશ-લક્ષ્મી-વૈરાગ્ય અને મોક્ષ એ છ પદાર્થો આપનાર અથવા સર્વ ભૂતોની ઉત્પતિ-પ્રલય-જન્મ-મરણ તથા વિદ્યા-અવિદ્યાને જાણનારા.
* ભૂતભાવન - સર્વ ભૂતોને ઉત્પન્ન કરનારા.
* ભૂતેશ - ભૂતોનાં ઈશ (ઈશ્વર)
* મધુસૂદન - 'મધુ' નામનાં દૈત્યને મારનાર.
* મહાબાહુ - મહાન ભૂજા-બાહુવાળા
* માધવ - લક્ષ્મીનાં પતિ
* યાદવ - યાદવ કુળમાં જન્મેલાં
* યોગવિત્તમ - યોગને જાણનારાઓમાં શ્રેષ્ઠ.
* વાસુદેવ - વસુદેવનાં પુત્ર
* વાષ્ણય - વૃષ્ણિ ગોત્રમાં ઉત્પન્ન થયેલા
* વિષ્ણુ - સર્વવ્યાપક
* હરિ - સંસારરૃપી દુ:ખ હરનાર
અર્જુનના નામો અને તેનો અર્થ
* અનધ - પાપરહિત - નિષ્પાપ
* કપિધ્વજ - જેનાં ધ્વજ ઉપર કપિ છે તે.
* કુરુશ્રેષ્ઠ - કુરૃકુળમાં ઉત્પન્ન થયેલાઓમાં શ્રેષ્ઠ.
* કુરૃનંદન - કુરુવંશનાં રાજાઓનો પુત્ર
* કુરૃપ્રવીર - કુરુકુળમાં જન્મેલાઓમાં વિશેષ તેજસ્વી.
* કોન્તેય - કુંતીનો પુત્ર
* ગુડાકેશ - નિંદ્રાને જીતનાર
* ધનંજય - દિગ્વિજયમાં સર્વ રાજાઓને જીતનાર.
* ધનુર્ધર - ધનુષ્યને ધારણ કરનારો.
* પરતમ - પરમ તપસ્વી અથવા શત્રુઓને બહુ તપાવનાર.
* પાર્થ- પૃથા એટલે- કુંતીનો પુત્ર
* પુરુષવ્યાઘ્ર - પુરૃષોમાં વાઘ જેવો
* પુરુષર્ષભ - પુરુષોમાં ઋષભ એટલે શ્રેષ્ઠ.
* પાણ્ડવ - પાંડુનો પુત્ર
* ભરતશ્રેષ્ઠ - ભરતનાં વંશજોમાં શ્રેષ્ઠ.
* ભરતસતમ - ભરતનાં વંશજોમાં ઉત્તમ.
* ભરતર્ષભ - ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.
* ભારત - ભરતનો વંશજ
* મહાબાહુ - મોટી ભૂજાઓ-હાથોવાળા.
* સવ્યસાચિન્ - ડાબા હાથે પણ ધનુષ્ય સંધાન કરનાર.
આ નામો પર્યાયવાચી છે તેનો અર્થ અને મહિમા જાણવાથી તેનાં સ્વરૃપનું જ્ઞાાન થાય છે. આ પુરુષોત્તમ માસમાં આવે તેનાં નામનું રટન કરી મહિમા જાણીએ તો આવતો પણ માનવજન્મ સફળ થાય.
Monday 22 June 2015
કબીર વાણી
''ગુનમેં નિરગુન, નિરગુનમેં ગુન,
બાટ છાડી કયો બહિયે ।
અજરા અમર કથૈ સબ કોઈ,
અલખ ન કથના જાઈ ।।''
બાટ છાડી કયો બહિયે ।
અજરા અમર કથૈ સબ કોઈ,
અલખ ન કથના જાઈ ।।''
કબીર સાહેબ કહે છે, જે કાંઈ કહેવામાં આવ્યું છે જે કાંઈ લખવામાં આવ્યું છે, આ કહેવા-લખવાની મહાજંજાળમાં ન પડો. કારણ કે એ તો અભિવ્યક્તિનો એક નાનકડો અંશ છે. જે છે તેને તો ક્યારેય લખી કે કથી શકાતું નથી. પરમાત્મા વર્ણનથી પર છે, માટે નિર્ગુણ-સગુણની ગુંચવણમાં ગુંચવાવ નહિ. આ ગુંચવણ - આ ભટકનમાં આપણે કોણ જાણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. મુળને છોડીને ક્યાં અડાબીડ જંગલમાં ભટકી ગયા છીએ તેની આપણને પોતાને જ ખબર નથી. તેઓ કહે છે, ''અલખ ન કથના જાઈ'' અર્થાત્ જે વાસ્તવિક રૃપમાં છે તેને તો કહી શકાતું નથી. તેને બુદ્ધિ દ્વારા વર્ણવી શકાતું નથી, કારણ કે બૌદ્ધિક શબ્દોની અમુક સીમા છે, પરમાત્મા શબ્દોથી પાર છે. તેમની સાથે કેવો શાબ્દિક વહેવાર? અહિં તો ઉંડુ મૌન જોઈએ. જેટલું મૌન હશે, પ્રવેશ અંતરમાં એટલો જ ઊંડો હશે. ગહન મૌનમાં કબીર સાહેબનું રહસ્ય અનાવૃત્ત થાય છે અને આ રહસ્યમાં કબીરજીનાં અબોધ-બોલ, બોલવા લાગે છે,
''નાતિ સરૃપ વરન નહિ જાકે,
ઘટી ઘટી રહ્યો, સમાય''
કબીહ સાહેબ કહે છે કે રૃપ અને આકારની પાર સંસાર સમાપ્ત છે. રૃપ અને આકાર સુધી જ સંસાર છે જ્યાં સંસાર નથી ત્યાં પરમાત્મા છે, કારણ કે પરમાત્માનું નથી કોઈ રૃપ, નથી કોઈ આકાર. તેમને બતાવવા માટે કોઈ ભાષા બની નથી અને બની શકે પણ નહિં. ભાષા તો સંસાર માટે બની છે. આકાર માટે છે. પરમાત્મા તો નિરાકાર છે તેને શબ્દ દ્વારા કેવી રીતે વર્ણવી શકાય!
''પ્યણ્ડ બ્રહ્મણ્ડ છાડી જે કથીયે,
કહે કબીર હરિ સોઈ.''
એ પરમાત્મા નથી નિર્ગુણ, નથી સગુણ. એ નથી પીંડ, નથી બ્રહ્માંડ. તે બંનેથી પર છે, અને તે બંનેથી પાર છે. કબીર સાહેબ કહે છે, ''જો કાંઈ છે, તો તે હરિ છે, હરિ કહ્યું, બધું જ કહી દીધું. તેમને જાણ્યા, બધું જ જણાઈગયું. જેણે જાણી લીધું તે કાંઈ કહેશે નહિ, પરમ મૌન થઈ જશે. 'ગુંગે કેરી સરકરા' જાણે કે મુંગાએ મીઠાઈ ખાધી ને.. 'ખાઈ ઔર મુશ્કાઈ' ખાઈ લીધીને મલકાયો. મુંગો છે તે સાકરનાં સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે! મીઠી લાગી, મુસ્કરાયો. કબીર સાહેબ એવા છે કે જેમાં પરમાત્મા સમાઈ ગયા છે અને પરમાત્મામાં કબીર વિલીન થઈ ગયા છે. પરમાત્મા કહો કે કબીર, બંને અભિન્ન એકબીજામાં ભળી ગયેલા.
''નાતિ સરૃપ વરન નહિ જાકે,
ઘટી ઘટી રહ્યો, સમાય''
કબીહ સાહેબ કહે છે કે રૃપ અને આકારની પાર સંસાર સમાપ્ત છે. રૃપ અને આકાર સુધી જ સંસાર છે જ્યાં સંસાર નથી ત્યાં પરમાત્મા છે, કારણ કે પરમાત્માનું નથી કોઈ રૃપ, નથી કોઈ આકાર. તેમને બતાવવા માટે કોઈ ભાષા બની નથી અને બની શકે પણ નહિં. ભાષા તો સંસાર માટે બની છે. આકાર માટે છે. પરમાત્મા તો નિરાકાર છે તેને શબ્દ દ્વારા કેવી રીતે વર્ણવી શકાય!
''પ્યણ્ડ બ્રહ્મણ્ડ છાડી જે કથીયે,
કહે કબીર હરિ સોઈ.''
એ પરમાત્મા નથી નિર્ગુણ, નથી સગુણ. એ નથી પીંડ, નથી બ્રહ્માંડ. તે બંનેથી પર છે, અને તે બંનેથી પાર છે. કબીર સાહેબ કહે છે, ''જો કાંઈ છે, તો તે હરિ છે, હરિ કહ્યું, બધું જ કહી દીધું. તેમને જાણ્યા, બધું જ જણાઈગયું. જેણે જાણી લીધું તે કાંઈ કહેશે નહિ, પરમ મૌન થઈ જશે. 'ગુંગે કેરી સરકરા' જાણે કે મુંગાએ મીઠાઈ ખાધી ને.. 'ખાઈ ઔર મુશ્કાઈ' ખાઈ લીધીને મલકાયો. મુંગો છે તે સાકરનાં સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે! મીઠી લાગી, મુસ્કરાયો. કબીર સાહેબ એવા છે કે જેમાં પરમાત્મા સમાઈ ગયા છે અને પરમાત્મામાં કબીર વિલીન થઈ ગયા છે. પરમાત્મા કહો કે કબીર, બંને અભિન્ન એકબીજામાં ભળી ગયેલા.
Sunday 21 June 2015
Saturday 20 June 2015
6.5 કરોડ વર્ષ પછી પૃથ્વી પર છઠ્ઠા સર્વનાશનો આરંભ
અગાઉ પાંચ વખત સામુહિક વિનાશ થયો છે
6.5 કરોડ વર્ષ પછી પૃથ્વી પર છઠ્ઠા સર્વનાશનો આરંભ
અગાઉ પાંચ વખત સામુહિક વિનાશ થયો છે
અમેરિકાની 3 યુનિવર્સિટીઓના સંશોધને વધુ એક વખત એ વાતનું સમર્થન આપ્યું છે કે પૃથ્વી પર સજીવોના સર્વનાશનો આરંભ થઇ ચૂક્યો છે. પૃથ્વીના 450 કરોડ વર્ષના ઇતિહાસમાં અગાઉ પાંચ વખત સામુહિક સજીવ વિનાશના બનાવો નોંધાયા છે. હવે છઠ્ઠી વખતનું તાંડવ આરંભાઇ ચૂક્યું છે.
Friday 19 June 2015
Wednesday 17 June 2015
86 अरब डॉलर की संपत्ति के साथ दुनिया के सबसे अमीर आदमी हैं बिल गेट्स
माइक्रोसॉफ्ट के सह-संस्थापक बिल गेट्स 86 अरब डॉलर की संपत्ति के साथ दुनिया के सबसे धनाढ्य व्यक्ति हैं। धनाढ़्य व्यक्तियों की संपत्ति के बारे में जानकारी देने वाली कंपनी वेल्थ-एक्स ने यह सूची तैयार की है।
सूची के अनुसार अमेरिकी निवेशक वारेन बफे 70.1 अरब डॉलर के साथ अति धनाढ़्यों की सूची में दूसरे स्थान पर हैं। वहीं स्पेन के अमानसियो ओर्टेगा 65 अरब डॉलर के साथ तीसरे स्थान पर हैं। शीर्ष 10 धनाढ्य व्यक्तियों में लैरी इलिसन (51.5 अरब डॉलर), इंगवार कैमप्राद (48.1 अरब डॉलर), जेफ बेजोस (39.8 अरब डॉलर), कालरेस स्लिम (35.4 अरब डॉलर), मार्क जुकरबर्ग (35.3 अरब डॉलर), वांग जिआनलीन (35.2 अरब डॉलर) तथा माइकल ब्लूमबर्ग (33.7 अरब डॉलर) शामिल हैं।
वेल्थ-एक्स की सूची में अमेरिकी उद्यमियों का दबदबा है। 25 स्थानों में 14 पर अमेरिकी उद्यमी हैं। इन 14 अमेरिकियों की संयुक्त रूप से संपत्ति 514.2 अरब डॉलर है जो नार्वे के जीडीपी से ज्यादा है। इस सूची में किसी भारतीय का स्थान नहीं है। सूची में गूगल के लैरी पेज तथा सर्गेई ब्रिन और अलीबाबा के चेयरमैन जैक मा भी शामिल हैं।
Tuesday 16 June 2015
ચીનમાં માત્ર ૧૯ દિવસમાં જ આ પ૭ માળની ઇમારત ઉભી કરી દેવાઇ
ચીનમાં માત્ર ૧૯ દિવસમાં જ પ૭ માળની એક ઇમારત ઉભી કરી દેવાઇ છે. આ ઇમારતનુ કામ એટલી ઝડપી થતુ હતુ કે એક જ દિવસમાં ત્રણ માળનુ બાંધકામ પુરૂ કરી દેવાતુ હતુ.
દક્ષિણ ચીનના ચાંગ્શા શહેરમાં આ ઇમારત બનીને તૈયાર થઇ ચૂકી છે. આમ તો ચીનમાં બનેલી ગગનચૂંબી ઇમારતોની સરખામણીમાં આ ઇમારતની ઉંચાઇ ઓછી છે. પ૭ માળની આ ઇમારતની ઉંચાઇ ર૦૪ મીટર છે. આ ઇમારત ઝેંગ ઉઇએ બનાવી છે ઝેંગ ઉઇની નિર્માણ કંપની બ્રોડ ગ્રુપનુ માનવુ છે કે આ તો માત્ર શરૂઆત છે.
ઝેંગ કહે છે કે આ એક મોડ્યુલર ક્રાંતી છે. મીની સ્કાઇ સીટી નામની આ ઇમારતમાં હજારો તૈયાર મોડ્યુલ્સને એકબીજામાં ફીટ કરીને ઇમારત જોતજોતામાં ઉભી કરી દેવાઇ છે. ઝેંગનુ માનવુ છે કે આ ટેકનીક ઝડપી હોવાની સાથે સસ્તી પણ છે. બ્રોડ ગ્રુપ મીની સ્કાઇ સીટી બાદ હવે ગગનચુંબી સ્કાઇ સીટી બનાવવા માગે છે.
“ચાંદ”
નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.,
પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે…
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે…
++---ભગવાન---++
ભગવાન કહે માનવને ……………..
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
હું તો છું તારા મનમાં, ને સૃષ્ટિના કણકણમાં,
તારા ભૂત ભવિષ્ય વર્તમાનમાં,ને તારી ક્ષણેક્ષણમાં,
તારા કર્મ અને ધર્મમાં, ને જ્ઞાન અને વિજ્ઞાનમાં,
તારા ભૂત ભવિષ્ય વર્તમાનમાં,ને તારી ક્ષણેક્ષણમાં,
તારા કર્મ અને ધર્મમાં, ને જ્ઞાન અને વિજ્ઞાનમાં,
પંખીઓના કલરવમાં,ને પશુઓના રવ(અવાજ)માં,
ઝાડપાનની હલચલમાં,ને નદીઓના કલકલમાં,
કુદરતના આયોજનમાં, ને પ્રલયના પ્રયોજનમાં,
દશે દિશાઓમાં ને આસપાસના વાતાવરણમાં,
ઝાડપાનની હલચલમાં,ને નદીઓના કલકલમાં,
કુદરતના આયોજનમાં, ને પ્રલયના પ્રયોજનમાં,
દશે દિશાઓમાં ને આસપાસના વાતાવરણમાં,
ભગવાન કહે માનવને ……………..
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
મારા અસ્તિત્વ વિનાનું સૃષ્ટિ પર નથી કોઈ સ્થાન,
એ એહસાસથી જ મળશે તને તારા ભગવાન
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
મારા અસ્તિત્વ વિનાનું સૃષ્ટિ પર નથી કોઈ સ્થાન,
એ એહસાસથી જ મળશે તને તારા ભગવાન
..........જિંદગી.........
જીદંગી શું ચીજ છે
ગાઈ શકો તો ગીત છે
સુખ મળે અને દુખ મળે
કર્મની એ રીત છે
જો જીવી શકો જીદંગી
તો હારમાં પણ જિત છેહ
અધં થઇ ન ચાલશો
કારણ કે રાહમાં પણ ભીત છે
મને તો હવે મોતથી પણ પ્રીત છૈ
ગાઈ શકો તો ગીત છે
સુખ મળે અને દુખ મળે
કર્મની એ રીત છે
જો જીવી શકો જીદંગી
તો હારમાં પણ જિત છેહ
અધં થઇ ન ચાલશો
કારણ કે રાહમાં પણ ભીત છે
મને તો હવે મોતથી પણ પ્રીત છૈ
+.--મિત્ર..-+
મિત્રતા ની વ્યાખ્યા કરવી ખુબ જ અઘરી છે,
મિત્રતા એ જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી,
મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી એ મિત્રતા
આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે
જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે,
મિત્રો સાથે વિતાવેલી દરેક પળ ,જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય
એ પળો ખરીદી શકાય એવી નથી હોતી,
મિત્રો આ બંધન વગરના સંબંધ ને જિંદગીભર સંભાળી ને રાખજો.
મિત્રતા દિવસ ની દરેક મિત્રો ને શુભેચ્છા !!
મિત્રતા એ જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી,
મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી એ મિત્રતા
આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે
જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે,
મિત્રો સાથે વિતાવેલી દરેક પળ ,જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય
એ પળો ખરીદી શકાય એવી નથી હોતી,
મિત્રો આ બંધન વગરના સંબંધ ને જિંદગીભર સંભાળી ને રાખજો.
મિત્રતા દિવસ ની દરેક મિત્રો ને શુભેચ્છા !!
Thursday 11 June 2015
Subscribe to:
Posts (Atom)