Sunday 24 January 2016

સૂર્યનારાયણની ઉપાસના ''''''.....

સંસ્કૃતમાં એક શ્લોક છે,
'આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર ।
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સ્તુતે ।।
જેનો અર્થ થાય છે,
''હે આદિદેવ સૂર્યનારાયણ ! આપને હું નમસ્કાર કરૃં છું. હે દિવ્ય પ્રકાશ આપનાર દેવ. આપ પ્રસન્ન થાઓ. હે દિવાકર, પ્રકાશિત દેવ, આપને હું પ્રણામ કરું છું.
પ્રતિદિન પૂર્વાકાશમાં પરોઢિયે સૂર્યનારાયણનાં આગમન સાથે ધરતી પર રાત્રિનો ઘોર અંધકાર વિદાય લઇ, નવી આશાઓનો સંચાર સાથે, નવલું પ્રભાત ઉદય પામતું હોય છે. સૂર્યોદય સમયની સોનેરી સવાર કેટલી રળિયામણી લાગતી હોય છે ! તો એની સાથે પંખીઓના મધુર કલરવનું સંગીત, શીતલ પવનની મંદ મંદ વહેતી લહેરીઓ, અને આકાશમાંની રંગબેરંગી રંગોળી, પૂર્વમાંના સૂર્ય ભગવાનનું સ્વાગત કરી અભિવાદન કરે છે.
ભારતની સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી આપણે સૂર્ય દેવતાની ઉપાસના કરતા આવ્યા છીએ. આપણા અનેક આરાધ્યદેવો સુક્ષ્મ સ્વરૃપે આપણી આસપાસ કે દેવસ્થાનોમાં જોવાય છે. પણ સાકાર સ્વરૃપે માત્ર એક સૂર્ય નારાયણ કરોડો વર્ષથી આપણને આંગણે દર્શન આપે છે. વેદકાલીન સંસ્કૃતિમાં સૂર્ય દેવની આરાધનાનું વિશેષ મહત્વ જોવા મળે છે.
આ પૃથ્વીનાં ગ્રહ પર સૂર્યની શક્તિ ધ્વારા જીવનનો સંચાર થતો હોય છે. એટલે જ તો સૂર્યને આદિનારાયણનું બિરૃદ આપવામાં આવ્યું છે. આપણા સૌના પ્રાણદાતા એવા સૂર્યભગવાનની અનેક મંત્ર પુષ્પાંજલિઓથી દર સુપ્રભાતે પૂજા- અર્ચન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
આ ભૂ:ભૂવ અને સ્વ:ના વરેણ્ય સવિત દેવને આપણા પ્રાચીન કાળના ઋષિ- મુનિઓ બાર ઉપનામોથી સંબોધતા હતા. એવા એ પ્રકાશના પૂંજ સમાસૂર્યનારાયણના બાર નમસ્કાર મંત્રો પણ કેટલા તેજસ્વી અને પ્રભાવશાળી છે. જેમ કે...
(૧) ૐ  મિત્રાય નમ:
(૨) ૐ રવયે નમ:
(૩) ૐ સૂર્યાય નમ:
(૪) ૐ ભાનુવ નમ:
(૫) ૐ ખગાય નમ:
(૬) ૐ પુષ્ણે નમ:
(૭) ૐ મરીચયે નમ:
(૮) ૐ હિરણ્ય ગર્ભાય નમ:
(૯) ૐ આદિત્યાય નમ:
(૧૦) ૐ સવિત્રે નમ:
(૧૧) ૐ અકાપ નમ:
(૧૨) ૐ ભાષ્કારાય નમ:

No comments:

Post a Comment