Sunday 24 January 2016

સમય સમયની બલીહારી..



સમય સમય બલવાન હે, નહિ પુરુષ બલવાન કાબે અર્જુન લુંટીયો એહિ ધનુષ એહિ બાન.
કોઇપણ વ્યક્તિ સમયકાળથી ઉપર નથી. સમયનું ચક્ર અવિરતપણે ચાલતું રહે છે. જીવનમાં ક્યારેક નબળો સમય તો ક્યારેક સબળો સમય આવે છે. આમ વ્યક્તિ નહિ પણ સમય બળવાન છે,  મહાભારતના અર્જુનની જગજાહેર વાત છે. એક સમય એવો હતો કે અર્જુનના ગાંડીવ ધનુષના રણહંકારથી ધરતી ધ્રુજતી, એ જ ધનુષ્ય હાજર હોવા છતાં અર્જુનને કાબાના હાથે લુંટાવું પડયું. મનુષ્યના જીવનમાં અનેક ચઢાવ ઉતાર આવતા રહે છે. ક્યારેક ખાવા હલવા પુરી ક્યારેક સુકી રોટી. આ બધો સમયનો ખેલ છે. માણસે સમય પારખીને સમયને અનુરૃપ જીવન જીવવું જોઇએ. જો એ સમયને ન વર્તી શકે તો સમય આગળ વહી જાય છે ને વ્યક્તિ પાછળ રહી જાય છે.
 કહેવત છે કે 'સમય સમયને માન' છે. માટે 'સમય વર્તે સાવધાન.' સમય પ્રમાણે વર્તે તે સમજદાર ગણાય. વક્ત ફીલમનું એક ગીત છે. 'આદમીકો ચાહિયે  વક્ત સે ડરકર રહે, કૌન જાને કીસ ઘડી વક્તકા બદલે મિજાજ. માણસનો સમય ક્યારે બદલાય તે કહી શકાય નહિ. માણસનો એક સમય એવો હોય કે તે ઉપાડયોય ન ઉપડે. ગામઠી ભાષામાં કહેવાય કે ભાઇ ! એનો તો અત્યારે દસકો છે. વળી સમય બદલાય ને એનો કોઇ ભાવેય ન પુછે. આ બધો સમય સમયનો ખેલ છે. 'વક્ત હે ફુલો કી સેજ વક્ત હે કાંટોકા તાજ' અપાર સંપતી હોય, સુખના સાધનો હાથવગા હોય. સમાજમાં તેની વાહવાહ થતી હોય, પ્રારબ્ધને લઇને તેનો સારો સમય ચાલતો હોય, ત્યારે ઉંધુ નાખે તોય સવળું પડે પછી સમય કરવટ બદલે સમયનું વહેણ બદલાય ત્યારે સવળું નાખે તો ય ઉંધું પડે. એક દિવસ બથમાય ન સમાતો માણસ ચપટીમાં સમાય જાય ને વળી એક સમય એવો આવે કે ચપટીમાં સમાતો બથમાય ન સમાય. આને કહેવાય 'સમય-સમયની બલીહારી' હાજા ભગતે વળી સમયને આ રીતે મુલવ્યો છે :-
'છતને છાયા ઘણી, અછતને કોણ આપે,
'હાજો' કહે હોલવાણી ટાઢી ઇ ટાઢીમાં કોણ તાપે.
શિયાળામાં ટાઢ ઉડાડવા, લોકો મોટુ તાપણું કરે, આ તાપણાની આજુબાજુ, ઢુંગોવળીને બધા બેસે ને ટાઢ ઉડાળે જે તાપણામાં ભળકો બળતો હોય ત્યાં સૌ કોઇ તાપે પણ ઠરી ગયેલા તાપણા પાસે કોઇ બેસે નહિ, તાપે નહિ, છતને છાયા ઘણી અર્થાત્ જેનો સમય સારો હોય પૈસે ટકે ખુબ સુખી હોય. સુખના તમામ સાધન ઉપલબ્ધ હોય, વગદાર માણસ હોય, તેને બધાય સલામ મારે !  પણ જેને સીમમાં ખેતર ન હોય તે ગામમાં ખોરડું ન હોય એવા અછતમાં જીવતા ઠનઠનગોપાલને કોઇ બોલાવે પણ નહિ.  આજના આધુનિક યુગમાં ધન-સંપત્તિની બોલબાલા છે. પૈસાથી માણસ મોટો ગણાય છે. કહેવ; છે. ''છતમાં છોકરુ ડાહ્યું, અછતમાં ડોસી ગાંડી'' આમ છતમાં છોકરૃય ડાહ્યું લાગે ને અછતમાં ડોસીમાં પણ ગાંડા જેવા લાગે.
એક બાપા દરરોજ સવાર સાંજ ઠાકર મંદીરે દર્શન કરવા જાય, તેને સામા મળતા બધા બાપાને કહે બાપા રામરામ બાપા સામેની વ્યક્તિને રામ રામ કહે ને વળી એમ પણ કહે કે તમારા રામરામ મારા પટારાને પહોંચાડી દઇશ. આમ ઘણો સમય ચાલ્યું, એક દિવસ એક ભાઇએ બાપાને પૂછયું કે બાપા અમે તમને રામ રામ કરીએ ત્યારે તમે 'તમારા રામ રામ મારા પટારા ને કહી દઇશ, એવું શા માટે કહો છો ? ત્યારે બાપંએ ખ્દદ્ધંદ્બંે કખ્તંર્ે. હેા ઝ્રંઇ, અં દૃહેદ્ધંખ્ત હુા 'ર્ગ્દઙ્મે ઙ્મીકળ;ંે વખ્તંરે મને કોઇ બોલાવતું પણ નહિ કારણ ! તે'દિ મારો પટારો ખાલી હતો. પણ આજે મારો પટારો ભરપુર છે માટે તમો બધા મને બોલાવો છો. રામરામ કરો છો. હું તો એનો  એ જ છું પણ આ બધો સમયનો ખેલ છે કોઇનોય એક સરખો સમય રહેતો નથી.
''ભૂપ બને છે અહિ ભીખારી રંક બને છે રાજા.
અંકાયેલા લેખ વિધીના નવ કો'થી પલટાતા.
સુખ અને દુ:ખ કેરી છાયા આવે અને વહિ જાયે.
જીવન નાવ અહિ રંગ બદલતી જાયે.''
જીવન અનેક રંગ બદલે છે. સારો નરસો સમય પણ આવે છે ને ચાલ્યા જાય છે. સમય પારખી જીવન જીવાય તો સુખી ને ભૂતકાળને યાદ કરી સારા સમયને યાદ કરીને જીવીએ તો દુ:ખી થઇ જઇએ.

No comments:

Post a Comment