Tuesday 14 July 2015

~શુભ સવાર~જય શ્રી કૃષ્ણ~

ર્દષ્ટિપુતં ન્યસેતૂ: પાદં વસ્ત્રપુતં પિબેદપ:
સત્યપૂતાં વદેત્ વાચં મન: પૂત સમાચરેત્
જોઈને પગ મુકવો, વસ્ત્રથી ગાળીને પાણી પીવું, સત્ય વાણી બોલવી, 
અને મનથી વિચારીને કર્મ કરવું.
એટલે કે "હું જે કરૂ છું તેને જડ~ચેતનમાં બેઠેલા પ્રભુ દેખે છે.
મારૂ કર્મ મારાથી ગુપ્ત રાખી શકાશે નહી;
જે કર્મ કરીશ તેને ઝાડ પહાડ કે પૃથ્વીની રજે~રજ જાણી જશે, અને તેને જાહેર કરશે.
આમ વિચારનાર પાપ નહી કરી શકે.
કોઈને એમ થાય કે ઝાડ~પહાડ વગેરે શું કર્મ દેખી શકતા હશે..?
નજ દેખી શકે!
હું તો કહું છું કે સર્વ જડ~ચેતનામાં પરમાત્માની શક્તિ છે..
સર્વ વસ્તુઓ પ્રાણીઓનાં પાપ તો શું પણ પાપમય વિચારોને પણ જાણી શકે છે,
સાંભળી શકે છે અને બોલી પણ શકે છે....

No comments:

Post a Comment