Wednesday, 20 January 2016

ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું...


સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત જીવનપ્રાણ સ્વામીબાપાએ સૂત્ર આપ્યું છે કે, ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું...
રાત કાળી છે. રાત જેમ આગળ વધે તેમ વધુ કાળી થતી જાય છે. પરંતુ જ્યારે રાત તેના છેલ્લા અને અત્યંત કાળા સ્ટેજમાં હોય છે. ત્યારે જ સૂર્યનું કિરણ આવીને તેને છેદે છે. ધીમે- ધીમે એક પછી એક કિરણો રાતની કાળાશને ધોઇ નાંખે છે. જેનો પ્રારંભ છે. તેનો અંત પણ હોય છે. જેમ સારી પરિસ્થિતિનો અંત છે તેમ ખરાબ પરિસ્થિતિનો પણ અંત છે. તેથી જ સંતો કહે છે કે,
ધીર ધરો મનમાં સદા, સહન કરો દુ:ખ પાત,
સુખ-દુ:ખ આવે જાય છે, જેમ આવે દિન-રાત.
જિંદગી જીવો તો મજાની છે, બોજ સમજો તો જિંદગી સજાની છે. આપણે કેવું સમજીએ છે તેના ઉપર સુખ અને દુ:ખનો નિર્ધાર છે. સમજીએ તો આપણે સુખી જ છીએ. બાકી દુ:ખી લોકોથી તો આખી દુનિયા ભરી છે.
હવાથી જે થથરી જાય એ પાંદડું જલદી ખરી જાય છે. ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર જ જીતે છે. દુ:ખથી ડરવાનું નથી. આપણે તેની સામે ભગવાનનું બળ રાખીને તેની સાથે લડીને તેને હરાવાનું છે.
સહારો છે સર્જનહારનો, પછી દરકાર શું કરવી ?
મળી છે મસ્ત જિંદગી તો, બસ સુખની લલકાર કરવી
દુ:ખો આવે ને જાયે, વહેવારની વણજાર ધરવી.
જેમ ઋતુમાં વસંત પછી પાનખર છે. દરિયામાં જો ભરતી પછી ઓટ છે, સૂર્યક્ષેત્રે જો ઉદય પછી અસ્ત છે, ચંદ્ર ક્ષેત્રે જો સુદ પછી વદ છે. આકાશ ક્ષેત્રે જો દિવસ પછી રાત છે, તો જીવન સુખ પછી દુ:ખ છે, હર્ષ પછી વિષાદ છે, સફળતા પછી નિષ્ફળતા છે. શરીર ક્ષેત્રે ભોગ પછી રોગ છે અને જન્મ પછી મરણ છે. આ ક્રમ છે તે પ્રમાણે જ દુનિયાના દરેક માણસને જીવવું પડે છે. પરંતુ ઘણા માણસો આ ક્રમમાં હારી બેસે છે. આપણે જિંદગીને જીતતાં અને જીવતા શીખવાની જરૃર છે તે શીખી જઇશું તો સુખી થઇશું.
નિરાશાઓમાં પણ આશાનો દીપ પ્રગટાવી રાખો,
પરિસ્થિતિ વિકટ આવે છતાં શ્રદ્ધાદીપ પ્રગટાવી રાખો.

Wednesday, 6 January 2016

માનવ કર્મોનો સિધ્ધાંત

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રચિત 'શ્રીમદ ભગવદ્ ગીતા'માં દર્શાવેલ કર્મનો સિધ્ધાંત આજનાં સમયમાં પણ એટલો જ સુસંગત છે. મનુષ્યે પોતાનાં સારા નરસાં કર્મોના ફળ અહિંને અહિં ભોગવવા પડતા હોય છે.
એવા આ કુદરતનાં કાનૂન જેવા નિયમો આપણી જ જીવનધારાને જીવનનાં સ્વરૃપને, એક ચોક્કસ ઘાટ ઘડવામાં એક સમર્થ પરિબળ ગણાયું છે. આપણાં આ જીવાતા જીવનની ઘટતી ઘટનાઓ પ્રારબ્ધ અનુસાર નિર્ધારિત થતી હોય છે. આ રીતનાં નિયતિનાં ફરતા ચક્રને મહાસમર્થ, શક્તિશાળી પુરુષ પણ બદલાવી શકતા નથી.
એવા આ અસરકારક કર્મોનાં નિયમ તથા તેના અનુસાર નિર્ધારિત ફળને અવગણી શકે કે બદલી શકે એવું સામર્થ્ય તો માત્ર નિયંતા એટલે કે પરમેશ્વરનાં હાથમાં છે. આ જગતને ચલાવનાર પરમેશ્વર ક્યારેય નિયતિને આધીન રહેતા નથી. ઉલ્ટાનું એ નિયતિનાં ઘડનારા ગણાયા છે. તેથી તેઓ જો ઈચ્છે તો નિયતિ એટલે કે નિર્ધારિત પરિણામને પણ બદલી શકે છે.
જો કર્મનો સિધ્ધાંત આપણાં જીવને અસર કરનારું મહત્વનું પરિબળ કહેવાતું હોય તો, પરમેશ્વરનું કૃપાતત્વ પણ આ જીવનનું એક મહાન સત્ય છે. કર્મનાં ફળ કરતાં પરમેશ્વરની કૃપા હોવાની સમર્થતા અધિકતર છે, કેમકે કર્મોનાં પરિણામો તો વિધિનાં લેખો અનુસાર લખાય છે, જ્યારે પરમાત્માની કૃપા તો તેમની પ્રસન્નતામાંથી પ્રગટતી હોય છે.
એટલે તો કહેવાયું છે ને પરમાત્માની કૃપા વિના કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. ઈચ્છિત પરિણામ મેળવવા માટે પરમેશ્વરની કૃપા હોવાનું આવશ્યક છે. જે લોકો પર પરમાત્માની કૃપા ઉતરી હોય છે. તેઓ સૌમાં ભાગ્યશાળી ગણાયા છે. કોઈ પણ નવિન કાર્ય શરૃ કરતાં પહેલાં પરમાત્માની કૃપાની કામના કરવી જરૃરી છે. કેમકે આપણા કર્મોના ફળ તો નિયતિને આધિન છે.
પણ કાર્યનું મનોવાંચ્છિત પરિણામ તો પરમેશ્વરને આધિન છે. માટે જ મનુષ્યો પરની પરમાત્માની કૃપા કોઈપણ કાર્ય કરવા કે ન કરવા કે અન્યથા કરાવવા માટે પણ તે ખૂબ સમર્થ છે, જેને કારણે કર્મનાં નિયમ તથા નિયતિ પણ બદલાઈ શકે છે. જો કે શ્રેષ્ઠ નિર્ધાર સાથે કરેલાં કાર્યોનું પરિણામ હંમેશાં ઉત્તમ મળે છે. એ વાત આજે જેટલી પ્રસ્તુત છે, એટલી આવતી કાલે પણ રહેવાની.

Saturday, 12 September 2015

शिव महापुराणों में अकाल मृत्यु से बचने के लिए महामृत्युंजय मंत्र का जप करने का विशेष उल्लेख लिखा मिलता है। "

ॐ नमः शिवायः, 
शिव महापुराणों में अकाल मृत्यु से बचने के लिए महामृत्युंजय मंत्र का जप करने का विशेष उल्लेख लिखा मिलता है। " महामृत्युंजय मंत्र " भगवान शिव को अति शीघ्र ही प्रसन्न करने का मंत्र होता है। इस मंत्र के द्वारा कोई भी मृत्यु पर विजय प्राप्त कर सकता हैं। इस मंत्र के प्रभाव से मनुष्य मौत के मुख में जाते जाते बच जाते है। मरणासन्न रोगी भी महाकाल शिव की अदभुद कृपा से जीवन पा लेते है। अधिक समय की बिमारी, दुर्घटना, अनिष्ठ गृहों के दुष्प्रभावों को दूर करने, मृत्यु को टालने के लिए इस महामृत्युंजय मंत्र का सवा लाख बार जाप करने का विधान होता है। यदि मनुष्य स्वयं महामृत्युंजय मंत्र का जप करने में सक्षम न हो। तो किसी योग्य पंडित से या अन्य किसी मनुष्य से महामृत्युंजय मंत्र का जाप कराया जा सकता है। सागर मंथन के बहुप्रचलित आख्यान में देवासुर के समय शुक्राचार्य ने अपनी यज्ञशाला में इसी महामृत्युंजय मंत्र के अनुष्ठानों का प्रयोग करके देवताओं द्वारा मारे गए। उन दैत्यों को पुनः जीवित कर दिया था इसलिए इस मंत्र को "मृतसंजीवनी" के नाम से भी जाना जाता है। इस मंत्र के साथ साथ "सोमवती अमावस्या" जो स्त्रियों का प्रमुख त्यौहार है। वह भी करना चाहिए। इस सोमवती (सोमवार अमावस्या) सोमवार भगवान् शिव और चन्द्रमा का दिन होता है। इस व्रत को सोमवती अमावस्या सोमवार को ही करना चाहिए। यह व्रत गंगा स्नान व दान पर्वों में सर्व श्रेष्ठ माना जाता है। इस व्रत वाले दिन मौन रहकर यह व्रत करने से और भगवान् शिव का ध्यान करने से सहस्त्र गौदान का पुण्य मिलता है। इस दिन पीपल के वृक्ष की 108 बार परिक्रमा करते हुए। पीपल और भगवान् शिव की पूजा करनी चाहिए। इसके बाद 108 फलों को ब्राह्मणों को दान देने से सर्व संपन्नता घर में आती है। और अंत में ब्राह्मणों को धन की दक्षिणा देकर आशीर्वाद प्राप्त करें।

Friday, 4 September 2015

मद्-भगवत गीता"के बारे में-

ॐ . किसको किसने सुनाई?
उ.- श्रीकृष्ण ने अर्जुन को सुनाई।
ॐ . कब सुनाई?
उ.- आज से लगभग 7 हज़ार साल पहले सुनाई।
ॐ. भगवान ने किस दिन गीता सुनाई?
उ.- रविवार के दिन।
ॐ. कोनसी तिथि को?
उ.- एकादशी
ॐ. कहा सुनाई?
उ.- कुरुक्षेत्र की रणभूमि में।
ॐ. कितनी देर में सुनाई?
उ.- लगभग 45 मिनट में
ॐ. क्यू सुनाई?
उ.- कर्त्तव्य से भटके हुए अर्जुन को कर्त्तव्य सिखाने के लिए और आने वाली पीढियों को धर्म-ज्ञान सिखाने के लिए।
ॐ. कितने अध्याय है?
उ.- कुल 18 अध्याय
ॐ. कितने श्लोक है?
उ.- 700 श्लोक
ॐ. गीता में क्या-क्या बताया गया है?
उ.- ज्ञान-भक्ति-कर्म योग मार्गो की विस्तृत व्याख्या की गयी है, इन मार्गो पर चलने से व्यक्ति निश्चित ही परमपद का अधिकारी बन जाता है।
ॐ. गीता को अर्जुन के अलावा
और किन किन लोगो ने सुना?
उ.- धृतराष्ट्र एवं संजय ने
ॐ. अर्जुन से पहले गीता का पावन ज्ञान किन्हें मिला था?
उ.- भगवान सूर्यदेव को
ॐ. गीता की गिनती किन धर्म-ग्रंथो में आती है?
उ.- उपनिषदों में
ॐ. गीता किस महाग्रंथ का भाग है....?
उ.- गीता महाभारत के एक अध्याय शांति-पर्व का एक हिस्सा है।
ॐ. गीता का दूसरा नाम क्या है?
उ.- गीतोपनिषद
ॐ. गीता का सार क्या है?
उ.- प्रभु श्रीकृष्ण की शरण लेना
ॐ. गीता में किसने कितने श्लोक कहे है?
उ.- श्रीकृष्ण जी ने- 574
अर्जुन ने- 85
धृतराष्ट्र ने- 1
संजय ने- 40.
अपनी युवा-पीढ़ी को गीता जी के बारे में जानकारी पहुचाने हेतु इसे ज्यादा से ज्यादा शेअर करे। धन्यवाद

Thursday, 3 September 2015

મામા શકુની ક્યારેય ન હારતા જુગારમાં, જાણો છો કેમ?

મહાભારતના ખલનાયકમાંના શકુનીને જ્યારે યાદ કરીએ ત્યારે તરત જ યાદ આવી જાય છે તેમનો જુગાર પ્રેમ. ગાંધારીના આ ભાઈ શકુનીએ દૂર્યોધનના મનમાં પાંડવો વિરુદ્ધ નફરતનું બીજ વાવવાનું કામ કર્યું હતું. પાંડવ- કૌરવના મહાભારત યુદ્ધ અને કૌરવ વંશના નાશ પાછળ આ પણ એક જવાબદાર વ્યક્તિ હતો. જાણીએ તેની એક મહાઆવડત જુગાર રમવાની. તેના પાસામાં એવું તે શું હતું કે તે ફેંકાતા પોબારા પડતા હતા. આખરે શકુનિએ શા માટે ભાઈ-ભાઈ વચ્ચે આંગ ચાંપી કે જેથી કરીને પોતાની બહેનનો વંશ જ ખતમ થઈ ગયો. આ વિષે એક કથા છે જેમાં શકુની નથી ઈચ્છતો કે તેની બહેનના લગ્ન અંધ ધૃતરાષ્ટ્ર સાથે થાય.

ભીષ્મના દબાણ હેઠળ ગાંધારીને ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા પડ્યા. તેથી શકુની હમેંશા બદલાની આગમાં સળગતો રહ્યો. તેણે હસ્તિનાપુર આવીને પોતાના દાવ-પેચ ખેલવા શરૂ કરી દીધા. આ એક ભાગ છે પણ આ વાર્તાનો બીજો ભાગ સ્તબ્ધ કરી દે તેવો છે.

એકવાર ભીષ્મ પિતામહને ગાંધારીથી એવું સત્ય જાણવું મળ્યું કે જે જાણીને ભીષ્મ નારાજ થઈ ગયા. ભીષ્મ નહોતા ઈચ્છતા કે ગાંધારીના લગ્ન પહેલાં આ સત્ય કોઈ અન્યને ખબર પડે. તેથી ભીષ્મે શકુનીના આખા પરિવારને બંદીખાનામાં પુરાવી દીધો. પુરતુ ભોજન ન મળવાથી તે લોકો ધીરે ધીરે તડપી તડપીને મૃત્યુ પામ્યા.

કારાવાસ દરમિયાન ભૂખથી પિડાઈને શકુનીના ભાઈઓ અંદરોઅંદર લડવા લાગ્યા. તારે એના પિતાએ નક્કી કર્યું કે બધો જ ખોરાક માત્ર એક જ વ્યક્તિ ખાશે. આપણે બધાં જ આપણું ભોજન આપીને એક વ્યક્તિનો જીવ બચાવીશું તે આપણી સાથે થયેલા અન્યાયનો બદલો લેશે. તેથી એવું નક્કી થયું કે જે સૌથી વધુ બુદ્ધિશાળી અને ચતુર હશે તે બધું જ ભોજન આરોગશે.

સમગ્ર પરિવારમાં શકુની સૌથી નાનો પણ સૌથી ચતુર અને બુદ્ધિમાન હતો. તેથી બધું જ ભોજન તેને મળવા લાગ્યું. શકુની પોતાના પરિવાર સાથે થયેલા અન્યાયને ક્યારેય ભૂલી ન શકે તેથી બધાંએ સાથે મળીને તેના પગ ભાંગી નાંખ્યા. તેથી શકુની લંગડો ચાલવા લાગ્યો.

શકુનીના પિતા જ્યારે બંદીગૃહમાં મરવાની અણિ પર હતા ત્યારે તેમને શકુનીમાં ચોપાટ રમવાની રુચિ જોઈ. ત્યારે તેમણે તેને કહ્યું કે બેટા તું મારી આંગળીઓના પાસા બનાવી લેજે. જેમાં મારો આક્રોશ ભરાયેલો હશે. જેથી પાસા ફેંકવામાં તને કોઈ હરાવી નહીં શકે.
પોતાના પિતાની આંગળીઓથી બનેલા પાસાને કારણે જુગારમાં શકુનીને કોઈ હરાવી શકતું નહોતું. તેથી જે તે દરેક વખતે પાંડવોને હરાવવામાં સફળ નિવડતો.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી..

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.
અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની અહિંસાના પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા—સૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).
તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.